Published By galaxy news
Oct. 22, 2024, 3:33 p.m.

ભારતે કેનેડાના એમ્બેસેડરને પાઠવ્યું સમન્સ, બેફામ નિવેદનોએ વધારી કેનેડાની મુશ્કેલી, જાણો

કેનેડાના તાજેતરના આરોપોને બેફામ નિવેદન ગણાવીને ભારતે કેનેડાના રાજદૂતને સમન્સ પાઠવ્યું છે. ભારતે કહ્યું કે આ આરોપો ટ્રુડો સરકારના રાજકીય એજન્ડાનો એક ભાગ છે અને પુરાવા શેર કરવામાં આવ્યા નથી. આ સાથે ભારતે ટ્રુડોની કેબિનેટ પર ગંભીર આરોપો પણ લગાવ્યા છે.

ભારતે કેનેડા દ્વારા લગાવવામાં આવેલા તાજેતરના આરોપોને વાહિયાત ગણાવ્યા છે. આ સાથે ભારતે કેનેડાના રાજદૂતને પણ બોલાવ્યા છે. કેનેડાએ આરોપ લગાવ્યો હતો કે ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ તપાસ સંબંધિત કેસમાં ‘પર્સન ઓફ ઇન્ટરેસ્ટ’ છે. ભારતે કેનેડાના આ ડિપ્લોમેટિક કોમ્યુનિકેશનને નકારી કાઢ્યો હતો. કેનેડાએ ઓટાવામાં ભારતીય હાઈ કમિશનરને શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યાની તપાસ સાથે જોડ્યા છે.

વિદેશ મંત્રાલયે કેનેડાના નિવેદનને ફગાવ્યું

વિદેશ મંત્રાલયે સોમવારે બપોરે જાહેર કરેલ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમને ગઈકાલે કેનેડા તરફથી રાજદ્વારી સંદેશાવ્યવહાર મળ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓ તે દેશમાં તપાસ સાથે સંબંધિત મામલામાં ‘પર્સન ઓફ ઇન્ટરેસ્ટ’ છે.” ભારત સરકાર આ આરોપોને ભારપૂર્વક નકારી કાઢે છે અને તેમને ટ્રુડો સરકારના રાજકીય એજન્ડાનો એક ભાગ માને છે, જે વોટ બેંકની રાજનીતિ પર કેન્દ્રિત છે.

‘ભારતને બદનામ કરવાની રણનીતિ’

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘વડાપ્રધાન ટ્રુડોએ સપ્ટેમ્બર 2023માં કેટલાક આરોપો કર્યા હોવાથી, અમારી તરફથી ઘણી વિનંતીઓ છતાં કેનેડા સરકારે ભારત સરકાર સાથે પુરાવા શેર કર્યા નથી. ફરી એકવાર કોઈપણ તથ્ય વગરના દાવા કરવામાં આવ્યા છે. આનાથી કોઈ શંકા રહેતી નથી કે તપાસના બહાને રાજકીય લાભ માટે ભારતને બદનામ કરવા માટે જાણીજોઈને અપનાવવામાં આવેલી વ્યૂહરચના છે.

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked