Published By galaxy news
Nov. 23, 2024, 11:44 a.m.

From RCB To PBKS: Fans Speculate On Glenn Maxwell's Switch Hit Ahead Of IPL Mega Auction

રાજ્યની કુલ 288 વિધાનસભા બેઠકોનાં પરિણામો પ્રમાણે મહાયુતિ ગઠબંધન 230 જીત્યું છે, જ્યારે 'મહારાષ્ટ્ર વિકાસ અઘાડી'નો આંકડો 50 પર સમેટાઈ ગયો છે.

પરિણામોમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના બહુ ખરાબ રીતે હારી ગઈ છે.

2019ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની અવિભાજિત શિવસેના ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએનો હિસ્સો હતી. તે સમયે શિવસેના 124 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તેમાંથી 56 બેઠકો જીતી હતી.

પક્ષમાં વિભાજન થવા છતાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ 2024ની લોકસભાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. પાર્ટીએ રાજ્યની કુલ 48 લોકસભા બેઠકોમાંથી નવ બેઠકો જીતી લીધી હતી.

ચૂંટણી અગાઉ એવી અટકળો કરવામાં આવતી હતી કે મહારાષ્ટ્રના ચૂંટણી જંગમાં ઉદ્ધવ ઠાકરે મોટા ખેલાડી તરીકે ઊભરી આવશે, પરંતુ આ પરિણામોએ તેના પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે શું મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની રાજનીતિનો અંત આવી જવાનો છે?

ઉદ્ધવની શિવસેનાનું ભવિષ્ય શું છે? શું તેમણે શિવસૈનિકોના 'સેનાપતિ'નો તાજ ગુમાવ્યો છે? આ પરાજય પાછળનું સૌથી મોટું કારણ શું છે?

મુખ્યપ્રધાનની ખુરશી અને પક્ષમાં વિભાજન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked